નીંદામણ નાશકના ઉપયોગથી સજીવોમાં જોવા મળતી વિપરિત અસરો વિશે ટૂંકમાં જણાવો.
હાલના સમયમાં કીટનાશને બદલે નીંદામણ નાશકો જેવા કે, સોડિયમ ક્લોરેટ $(NaClO_4)$, સોડિયમ આર્સિનાઇટ $(Na_2AsO_3)$ અને બીજા અન્ય નીંદામણ નાશકોનો ઉપયોગ વધ્યો છે.
યાંત્રિકથી રાસાયણિક નીંદામણ નિયંત્રણ તરફના બદલાવને કારણે ઉદ્યોગોને સમૃદ્ધ બજાર પ્રાપ્ત થયું છે. પરંતુ આ પણ પર્યાવરણ માટે અનુકૂળ નથી.
મોટાભાગના નીંદામણ નાશકો સસ્તન વર્ગના પ્રાણીઓ માટે હાનિકારક છે. તેઓ ઓર્ગેનીક્લોરાઇડ જેવા સ્થાયી ન હોવાથી ઓછા મહિનાઓમાં વિઘટન પામે છે અને આહારજાળ પર સંકેન્દ્રિત થાય છે.
કેટલાક નીંદામણ નાશકો માનવમાં જન્મજાત ખામી પેદા કરે છે. મકાઈના ખેતરમાં નીંદામણ નાશકોના છંટકાવથી જંતુઓનો હુમલો અને છોડમાં થતા રોગનું પ્રમાણ હાથથી નીંદામણ દૂર કરવામાં આવનાર ખેતર કરતાં વધુ જોવા મળે છે.
રાસાયણિક પ્રદૂષણમાં કીટનાશકો અને નીંદામણ નાશકો પ્રદૂષણના નાના ભાગનું જ પ્રતિનિધિત્વ કરે છે. વિભિન્ન વસ્તુઓના ઉત્પાદનથી ઔદ્યોગિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાં નિયમિતપણે ઉપયોગમાં લેવાનાર અનેક સંયોજનો એક અથવા બીજા સ્વરૂપે વાતાવરણમાં ભળે છે.
વાતાવરણમાં આવેલા જુદા જુદા આવરણની માહિતી આપો અને તેમાં રહેલા ઘટકોની સમજૂતી આપો.
શાળાનાં એક શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વનસ્પતિશાસ્ત્રનાં એક વિધાર્થીએ એક ગામમાં સુંદર તળાવ જોયું. તેણે ત્યાંથી ઘણી વનસ્પતિ પણ લીધી. તેણે જોયું કે ગામના લોકો ત્યાં કપડાં ધોઈ રહ્યા હતા અને કેટલીક જગ્યાએ ઘરનો કચરો તેનાં સૌંદર્યને બગાડી રહ્યો હતો.
થોડા વર્ષો પછી તેણે તે તળાવની ફરીવાર મુલાકાત લીધી. તેણે જોયું કે તળાવ આખું શેવાળથી ભરેલું હતું અને ખરાબ દુર્ગધ તેમાંથી આવી રહી હતી અને તેનું પાણી અનુપયોગી બની ગયું હતું. તમે તળાવની આવી દુર્દશા વર્ણવી શકો છો ?
વિચાર વિમર્શ :
ઉપરની ઘટના એ યુટ્રોફિકેશનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં નકામો કચરો જ્યારે પાણીમાં પ્રવેશે છે ત્યારે આલ્ગી (શેવાળ)નું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધે છે અને તેને કારણે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે.
જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત $(BOD)$ એટલે શું ?
પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવાના પગલાં જણાવો.
ગ્રીન હાઉસ અસર એટલે શું ?